મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય


SHARE







માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય

માળીયા અને હળવદ તાલુકાનાં છેવાડાના ગામના ખેડૂતોને હાલમાં સિંચાઇ માટેનું પાણી નર્મદની કેનાલમાંથી મળી રહ્યું નથી અને છેલ્લા ચાર દિવસથી હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ-2 માંથી છોડવામાં આવતું પાણી મળતું નથી જેથી શિયાળુ ઘઉં, લસણ, રાય સહિતના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાયેલ છે માટે નવા ધનાળા નજીક ખેડૂતોરામધૂન બોલાવીને પાણી આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવેલ હતો. અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં  આવી હતી તેવામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બ્રાહ્મણી ડેમ-2 ખાતે અધિકારીઓ સાથે પહોચ્યા હતા અને 15 હાજર ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ ધારાસભ્યએ આગામી એક સપ્તાહમાં ખેડૂતોને પાણી મળી જશે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ધારાસભ્ય સાથે જુદાજુદા ગામના સરપંચો અને ભાજપના આગેવનો હાજર રહ્યા હતા.






Latest News