મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE











મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી તાલુકાનાં બરવાળા ગામે ખેતીની જમીનમાં કબ્જો કરીને વાવેતર કર્યું હતું જેથી કરીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી જે ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

મોરબી તાલુકાનાં બરવાળા ગામની ખેતીની જામીન સર્વે નં.84 પૈકી 1 વાળી ખેતીની જમીન રવાપરના રહેવાસી મગનભાઈ થોભણભાઈ ભાલોડીયાએ સને 2022 માં વેચાણ લીધેલી હતી તે ખેતીની જમીનમાં બરવાળા ગામના રાતભાઈ દેવાભાઇ અને રણછોડભાઈ જીવનભાઈએ ફરિયાદીની જમીનમાં કબ્જો કરી વાવેતર કર્યું હતું અને આરોપીએ કબ્જો ખાલી ન કરતા ફરિયાદી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી તે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ થયેલ હતી અને આરોપીતેના વકીલ મારફતે મોરબીની સ્પેશ્યલ લેન્ડ ગ્રેબિંગ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેમના વકીલ દ્વારા કરેલ દલીલ ધ્યાને રાખીને આરોપીને શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબીના સિનિયર વકીલ જીતેન્દ્રસિંહ આર જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.






Latest News