હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો

હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે બાઇકને પાછળથી હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા થયેલ હતી જેથી કરીને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું છે અને બે યુવાનોને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવ બાદ રોષે ભરાયેલ લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં હળવદ પોલીસે ઇજા પામેલ યુવાનની ફરિયાદ લઈને ખાનગી બસના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં સુખપર ગામે રહેતા રવિરાજસિંહ ઘેલાભાઈ લિંબોલા (20)એ હાલમાં ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલા શક્તિનગર પાસે સુખપર ગામની નદીના પુલ નજીક રોડ ઉપર ફરિયાદીના બાઇક ઉપર તે તથા નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (17) અને અનિલ વિહાભાઈ લોદરિયા (18) જઈ રહ્યા હતા ત્યારે પાછળથી તેના બાઇકને ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ત્રણેય યુવાનોને ઇજા થયેલ હતી જેમાં ફરીયાદીને કપાળે ચાર ટાંકા આવ્યા હતા અને હાથે તેમજ પગે મુંઢ ઇજા થયેલ હતી તો સાહેદ અનિલ (18) ને સાથળ, ગુપ્ત ભાગે અને કમરે ગંભીર ઇજા થઈ હતી અને નિલેશભાઇ દાજીભાઇ રાઠોડ (17)ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક તેની બસ મુકી ભાગી ગયો હતો જેથી કરીને રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News