ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન


SHARE











હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં થોડા સમય પહેલા ભૂંડ પકડવા બાબતે બોલાચાલી, મારામારી અને ઝઘડો થયો હતો જે બનાવો સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં સામાપક્ષેથી ત્રણ શખ્સોની સામે હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ધાંગધ્રા ખાતે જનતા જીપાસે રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જોગીન્દ્રસિંહ ગુરમુખસિંહ ટાંક જાતે શીખ સરદારજી (29) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેંદ્રસિંઘ બીશનસિંઘ બગ્ગા રહે. વાકાનેર, જીતસિંઘ પ્રધાનસિંઘ ટાંક રહે. ધાંગધ્રા અને બહાદુરસિંઘ કરતારસિંઘ ભાદા રહે. ચુપણી મુળ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તથા સાહેદો હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ભૂંડ પકડવા માટે આવ્યા હતા ત્યારે મહેંદ્રસિંઘ બગ્ગાએ પોતાના હવાલા વાળી ગાડી ફરિયાદીની ગાડીમાં અથડાવી હતી અને તેઓના વાહનમાં નુકસાની કરી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભૂંડ પકડવા તેમજ અરજી પાછી ખેંચી લેવા બાબતે ફરિયાદી તથા ત્રિલોક અને બલદેવ સાથે બોલાચાલી, ઝઘડો કર્યો હતો અને ધોકા વડે માર્યો હતો ત્યારે ફરિયાદીને બચાવવા સાહેદો વચ્ચે પડતા તેઓને પણ ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને બલદેવને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે વળતી ફરિયાદ લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News