ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદાજુદા રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા થતી કનડગત રોકવા વડાપ્રધાનને રજૂઆત


SHARE











મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદાજુદા રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા થતી કનડગત રોકવા વડાપ્રધાનને રજૂઆત

મોરબી સીરામીક ઉદ્યોગને તોલ-માપ વિભાગ તરફથી થતી મુશ્કેલી દૂર કરવા માટેની મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ વડાપ્રધાનને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીનો સીરામીક ઉદ્યોગ દેશમાં વધારેમાં વધારે ટેક્સ ભરે છે અને તેને કેરાલા, એમ.પી., રાજસ્થાન તથા અન્ય રાજયોના તોલ-માપ વિભાગથી ઘણી મુશ્કેલી પડી રહી છે. અહીંથી ટાઇલ્સની પેટી જેતે રાજયના ડીલરને પેટી પર એમ.આર.પી.ના સીકકા લગાવીને વહેચાણ કાયદેસર કરેલ હોય છે અને હવે ટાઈલ્સના ભાવ જુદા-જુદા રાજ્ય પ્રમાણે જુદાજુદા હોય છે હવે એક-બે વર્ષ પછી એમાં એમ.આર.પી.ના સીકકા ઝાંખા પડી ગયા હોય છે.

તો તોલમાપ વિભાગ મેન્યુફેકચર ઉપર કેસ કરે છે. હવે નિયમ એ છે કે જેતે ડીલરે એમ.આર.પી.ની માહીતી આપવાની હોય છે. તો કેસ ડીલર પર થવો જોઈએ એના બદલે સીરામીકના માલીક ઉપર કેસ કરી ગમે તે રકમનો દંડ ભરવાનું દબાણ કરે છે હવે ફેકટરી માલીકને જેતે રાજ્યમાં જવાની ફુરસદ ન હોય તેથી તે સ્થાનીક વેપારીને જાણ કરે છે. કે તમે પ્રશ્ન હલ કરી નાખો જેથી વેપારી અને તોલમાપ અધીકારી ભેગા થઈને દંડની રકમ નકકી કરી આપે છે. અને ભ્રષ્ટાચાર થાય છે તેવી ચર્ચા ચાલી રહી છે.

જેથી તમામ રાજયોમાં ટાઇલ્સની એમ.આર.પી. બાબત મુશ્કેલી ન થાય તે માટે એમ.આર.પી. બાબતના કેઈસ જેતે ફેકટરીના હોય તે જીલ્લામાં રજુ કરે, જો ગ્રાહકે ફરીયાદ કરવાની હોય તો સ્થાનીક ડીલર પર પ્રથમ કરે, મેન્યુફેકચર પર કંપનીને જાણ કર્યા વગર તોલમાપણ વિભાગ દંડની રકમ મંજુર કરી શકે નહીં, જો તોલમાપ દંડની રકમ નક્કી કરે તો ગ્રાહક અદાલતનું કામ શું ?, તોલમાપ વિભાગ કંપનીના માલીક સાથે ટાઇલ્સની એમ.આર.પી. બાબતે ઓનલાઈન ચર્ચા કરે વિગેરે બાબતોને ધ્યાને લેવામાં આવે તો ભ્રષ્ટાચાર થવાની શક્યતા નહીંવત થઈ જશે અને ઉદ્યોગકારોને ખોટી રીતે હેરાન કરવાનું પણ બંધ થઈ જશે.






Latest News