મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE











છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે. દાવપારા ચોક પાસે તા.જી. મુંગેરી છત્તીસગઢ વાળાઓએ આવી જાણ કરેલ હતી કે તેઓના માતા મીનાબેન રામકુમાર યાદવ (55) રહે. દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી વાળા અસ્થિર મગજના તેમજ વયોવૃધ્ધ હોય જે છત્તીસગઢ રાજ્યના દાવપારા ચોકથી ગઇ તા.23/10/24 ના રોજ ટ્રેનમાં બેસી જતા રહેલ હતા અને હાલે તે મોરબી જીલ્લામાં હોવાની માહીતી આપી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી અને રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામીક કારખાનામાં વૃદ્ધા હોવાની હકીકત મળતા મોરબી તાલુકાનાં પીઆઇ એન.આર મકવાણાની સૂચના મુજબ તાલુકાની ટીમના અશ્વિનભાઈ ઝાંપડીયા, વિજયભાઈ ગોલતર અને ખમાબેન બગોદરીયા ત્યાં પહોચ્યા હતા અને ખરાઇ કરતા વૃદ્ધા ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને તેનું મોરબી તાલુકા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું






Latest News