ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં નીઃશુલ્ક નિદાન-સારવાર મેડિકલ કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં નીઃશુલ્ક નિદાન-સારવાર મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં પરિવારના મોભીની સ્મૃતિમાં નીઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં દર્દીને ચેકઅપ સાથે ત્રણ દિવસની દવા પણ આપવામાં આવશે. જેથી કરીને વધુમાં વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

મોરબીના ખાતે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની સ્મૃતિમાં તા 20/11 ના રોજ તેમના ધર્મપત્ની ગં.સ્વ. દમીયંતીબેન, પુત્ર સિદ્ધાર્થભાઈ દ્વારા અવેશ ચાનિયા એડવોકેટે યુસુફભાઈ ચાનિયા, રોહિલાપીરની દરગાહ પાસે, નકાઅદા મંદિર પાસે, મકરાણીવાસ ખાતે નીઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.હસ્તીબેન મહેતાના દ્વારા દર્દીઓને તપાસી, બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરી આપવા સાથે જરૂરતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તેમજ જયસુખભાઇ ભાલોડિયા દ્વારા હાડકા, સાંધા તેમજ વા ના દર્દીને પોઇન્ટની વિશેષ સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કેડો. હસ્તીબેન મહેતાનો આ 144 મો એક દિવસિય કેમ્પ થશે.






Latest News