ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ


SHARE











મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ

મોરબીના વજેપર ગામમાં  બાળકો માટે  નિ:શુલ્ક બાળ વાંચન માળાની  શરૂઆત કરવામાં આવી છે. અત્યારે નાના બાળકોમાં  મોબાઇલનું વ્યસન વધતું જાય છે. અને બાળકો દિવસભર મોબાઇલ જોવામાં વ્યસ્ત રહે છે. પરંતુ  બાળકોને વાચન તરફ પાછા લઈ જવા માટે એક નાનકડી પુસ્તકની પરબ બનાવવામાં આવી છે જ્યાં ૫ થી ૧૪ વર્ષ સુધીના બાળકો પોતાના મનપસંદ પુસ્તકો મહિનાના પ્રથમ શનિવારે લઈ જઈ શકશે. આ બાળ વાંચન માળાની શરૂઆત વખતે પર્યાવરણ પરિવારના વિચારક તેમજ તેના પ્રણેતા પરમાર નર્મદાબેન લાલજીભાઈના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમને બાળકોને જીવનમાં પુસ્તકોનું શું મહત્વ છે તેના વિશે બાળકોને સમજાવ્યું હતું, અને શરૂઆતમાં ૧૦ થી ૧૫ બાળકો પુસ્તકની પરબમા જોડાઈ ચૂક્યા છે. આ પુસ્તકોના દાતા ગીતાબેન પ્રકાશભાઈ દોશી તરફથી બાળસાહિત્યના પુસ્તકો ભેટ આપવમાં આવેલ છે.






Latest News