મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ


SHARE











મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ

મોરબીના વજેપર ગામમાં  બાળકો માટે  નિ:શુલ્ક બાળ વાંચન માળાની  શરૂઆત કરવામાં આવી છે. અત્યારે નાના બાળકોમાં  મોબાઇલનું વ્યસન વધતું જાય છે. અને બાળકો દિવસભર મોબાઇલ જોવામાં વ્યસ્ત રહે છે. પરંતુ  બાળકોને વાચન તરફ પાછા લઈ જવા માટે એક નાનકડી પુસ્તકની પરબ બનાવવામાં આવી છે જ્યાં ૫ થી ૧૪ વર્ષ સુધીના બાળકો પોતાના મનપસંદ પુસ્તકો મહિનાના પ્રથમ શનિવારે લઈ જઈ શકશે. આ બાળ વાંચન માળાની શરૂઆત વખતે પર્યાવરણ પરિવારના વિચારક તેમજ તેના પ્રણેતા પરમાર નર્મદાબેન લાલજીભાઈના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમને બાળકોને જીવનમાં પુસ્તકોનું શું મહત્વ છે તેના વિશે બાળકોને સમજાવ્યું હતું, અને શરૂઆતમાં ૧૦ થી ૧૫ બાળકો પુસ્તકની પરબમા જોડાઈ ચૂક્યા છે. આ પુસ્તકોના દાતા ગીતાબેન પ્રકાશભાઈ દોશી તરફથી બાળસાહિત્યના પુસ્તકો ભેટ આપવમાં આવેલ છે.




Latest News