ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાજન ચોકથી ચિત્રકૂટ ટોકીઝ રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો


SHARE











મોરબીમાં મહાજન ચોકથી ચિત્રકૂટ ટોકીઝ રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો

મોરબી નગરપાલિકા દ્વારા મનોરંજન કર ગ્રાન્ટમાંથી મહાજન ચોક- ચિત્રકૂટ ટૉકીઝ- અમૂલ પાર્લર- સુપર ટોકીઝ સુધી નવો સી.સી. રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેથી આ સમગ્ર માર્ગ પરના વાહનવ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવું જરૂરી જણાય છે.

તેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, મોરબી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૩૩ (૧) અનુસાર તેમણે મળેલી સતાની રૂએ સ્ટેપ બાય સ્ટેપ રોટેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી માટે મહાજન ચોક- ચિત્રકૂટ ટોકીઝ પરથી વાહનોની અવર જવર કરવા પર આગામી તા. ૧૦/૧/૨૦૨૫ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર મહાજન ચોક- ચિત્રકૂટ ટોકીઝ- અમુલ પાર્લર રોડ પર જતા વાહન વ્યવહારને મહાજન ચોક- નવયુગ ગારમેન્ટસ- મહેંદ્રપરા મેઇન રોડ- તેની પેટા શેરીઓ અને અન્ય માર્ગનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષને પાત્ર બનશે.

માળીયા(મીં) આઇ.ટી.આઇ. ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 16 ના રોજ સવારે 11:00 કલાકે માળીયા(મીં)માં પીપળીયા ચોકડી પાસે આવેલ આઇ.ટી.આઇ. ખાતે માળીયા(મીં) તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ત્યારે ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે રાખીને તેના ખર્ચે હાજર રહેવાનુ છે. 






Latest News