હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે


SHARE







મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે

કયો ખોરાક એસિડિક શરીર માટે સારો તેનો જવાબ જોઈએ તો પોતાના ડોકટર પોતે ન બનવું જોઈએ.છતાં પણ હાઈ એસિડ વધતા શરીરમાં ખૂબ નુકશાન થાય છે.માટે સામે હાઈ બેઇઝ ધરાવતા ખોરાક પણ લેવા જોઇએ.

એસીડીટી સામે રક્ષણ માટે જોઇએ તો દુધ લેવું જોઇએ દૂધમાં પામીટિક અને લેક્ટિક એસિડ હોય છે છતાં પેટમાં જતા એસિડીટી મટાડે છે.છાશ એક પ્રકારના વિટામિન-સી નો સ્ત્રોત છે છતાં પણ પેટની એસિડિટી મટાડે છે.ગોળ કેજે એક વનસ્પતિજન્ય પેદાશ છે.મતલબ શેરડીમાંથી બને છે. જે પચવામાં હળવા અને શરીરમાં દાહ ઓછી કરે છે. તજ લઇ શકાય તે સ્વાદે તીખા પરંતુ પ્રકૃતિએ ઠંડા હોય છે.વરિયાળી લેવી જે હાઈ ફાઇબર અને ઠંડી પ્રકૃતિની હોઇ છે.

તે ઉપરાંત કેળા કે જે ઘણા ગુણ ધરાવે છે એમાંનો એક ગુણ દાહ ઓછો કરવાનો એટલે કે એસીડીટી મટાડવાનો છે.ઇસબગુલ લેવું તે બેઇઝીક નથી પરંતુ હાઈ ફાઇબર હોવાથી એસિડિટી મટાડે છે.તકમરિયા કે જેને હિન્દીમાં સબ્જા સિડ કહે છે.તેની પ્રકૃતિ અતિશય ઠંડી હોય છે અને એસિડિટીઈમાં ખૂબ સારા અને ઉપયોગી હોય તે લેલા જોઇએ.તેમજ તુલસીના પાંદડા કે જે તીખાશયુક્ત પરંતુ પેટમાં દાહ ઓછી કરે છે તે અને સાકર કે જે કુદરતી રીતે બનાવેલ હોય તે એસીડીટીમાં શરીરને ફાયદો કરે તેમ હોય તેનું સેવન કરવું જોઇએ.આ બધી વસ્તુઓ એકી સાથે ઉપયોગ ન કરવો.એસિડિટીને સામાન્ય રોગ ન સમજીને જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લેવી જ હિતાવહ છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મલશે 

મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૦ ને રવિવારે સવારે ૮ થી ૧ રાહત દરે વસ્તુઓનું વેચાણ થશે જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ, સુધ્ધ ચોખ્ખું મધ હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ પાવડર ચુર્ણ ધુપ અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મલશે તેમજ ઓઈલ મીલમાં ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની શાની (કચ્ચરીયુ) ત્થા તેલ સુધ્ધ સીંગતેલ એક વર્ષની ગેરેન્ટી વાળુ તેમજ દરેક બીમારીમા ઉપયોગી દેશી ખાંડ, સિંધાલૂણ, ગોળ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી મલશે તેમ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ જણાવેલ છે.આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.કાપડની થેલી સાથે લઈને આવવુ.






Latest News