મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે


SHARE













મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે

કયો ખોરાક એસિડિક શરીર માટે સારો તેનો જવાબ જોઈએ તો પોતાના ડોકટર પોતે ન બનવું જોઈએ.છતાં પણ હાઈ એસિડ વધતા શરીરમાં ખૂબ નુકશાન થાય છે.માટે સામે હાઈ બેઇઝ ધરાવતા ખોરાક પણ લેવા જોઇએ.

એસીડીટી સામે રક્ષણ માટે જોઇએ તો દુધ લેવું જોઇએ દૂધમાં પામીટિક અને લેક્ટિક એસિડ હોય છે છતાં પેટમાં જતા એસિડીટી મટાડે છે.છાશ એક પ્રકારના વિટામિન-સી નો સ્ત્રોત છે છતાં પણ પેટની એસિડિટી મટાડે છે.ગોળ કેજે એક વનસ્પતિજન્ય પેદાશ છે.મતલબ શેરડીમાંથી બને છે. જે પચવામાં હળવા અને શરીરમાં દાહ ઓછી કરે છે. તજ લઇ શકાય તે સ્વાદે તીખા પરંતુ પ્રકૃતિએ ઠંડા હોય છે.વરિયાળી લેવી જે હાઈ ફાઇબર અને ઠંડી પ્રકૃતિની હોઇ છે.

તે ઉપરાંત કેળા કે જે ઘણા ગુણ ધરાવે છે એમાંનો એક ગુણ દાહ ઓછો કરવાનો એટલે કે એસીડીટી મટાડવાનો છે.ઇસબગુલ લેવું તે બેઇઝીક નથી પરંતુ હાઈ ફાઇબર હોવાથી એસિડિટી મટાડે છે.તકમરિયા કે જેને હિન્દીમાં સબ્જા સિડ કહે છે.તેની પ્રકૃતિ અતિશય ઠંડી હોય છે અને એસિડિટીઈમાં ખૂબ સારા અને ઉપયોગી હોય તે લેલા જોઇએ.તેમજ તુલસીના પાંદડા કે જે તીખાશયુક્ત પરંતુ પેટમાં દાહ ઓછી કરે છે તે અને સાકર કે જે કુદરતી રીતે બનાવેલ હોય તે એસીડીટીમાં શરીરને ફાયદો કરે તેમ હોય તેનું સેવન કરવું જોઇએ.આ બધી વસ્તુઓ એકી સાથે ઉપયોગ ન કરવો.એસિડિટીને સામાન્ય રોગ ન સમજીને જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લેવી જ હિતાવહ છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મલશે 

મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૦ ને રવિવારે સવારે ૮ થી ૧ રાહત દરે વસ્તુઓનું વેચાણ થશે જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ, સુધ્ધ ચોખ્ખું મધ હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ પાવડર ચુર્ણ ધુપ અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મલશે તેમજ ઓઈલ મીલમાં ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની શાની (કચ્ચરીયુ) ત્થા તેલ સુધ્ધ સીંગતેલ એક વર્ષની ગેરેન્ટી વાળુ તેમજ દરેક બીમારીમા ઉપયોગી દેશી ખાંડ, સિંધાલૂણ, ગોળ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી મલશે તેમ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ જણાવેલ છે.આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.કાપડની થેલી સાથે લઈને આવવુ.






Latest News