મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ


SHARE











મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ


મોરબી જિલ્લા ના ૪૧ વર્ષના સરદાબેન મુંઢવા નામના દર્દીને સતત 5 દિવસથી ડાબા પડખામાં ખુબજ દુખાવો થઈ રહ્યો હતો 2 દિવસ થી તીવ્ર ઠંડી અને તાવ આવી ગયો હતો. તેઓ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં આવ્યા દર્દીની સિટી સ્કૅન ની તપાસ કરતાં ખબર પડી કે ડાબી કિડની મા રસી થઈ ગઈ હતી અને ડાબી કિડની ની નળીમાં 13MM ની પથરી ફસાઈ ગઈ હતી. આયુષ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ કેયૂર પટેલ સાહેબ ના કેહવા પ્રમાણે દર્દી ને છેલ્લા 3 વર્ષ થી 13MM ની પથરી ડાબી કિડની ની નળીમાં હોવાનું જણાયું હતું. જેથી દર્દીને વારંવાર ડાબા પડખમાં દુખાવો પણ થયેલ હતો. અને દર્દી ને રાજકોટ ની કોઈ હોસ્પિટલ માથી પથરી તોડવા ની સલાહ પણ આપેલ હતી. દર્દી ની બેદરકારી ના કારણે દર્દીએ સચોટ નિદાન કરાવ્યુ નહીં અને દેસી નુસ્કાઑ પર ધ્યાન આપ્યું જેથી તેમણે દુખાવામા રાહત મળતી પણ પથરી નીકળી નહીં અને કિડનીમા પથરીના કારણે ચેપ લાગવાથી કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી જેની પુષ્ટિ DTPA સ્કૅન દ્વારા કરવામાં આવી હતી.

આ બધુ દર્દી ને સમજાવ્યા બાદ તેમણે નેફેરેક્ટોમિ (કિડની કાઢવાનું ઓપરેશન ) માટે તૈયાર હતું , ત્યાર બાદ ડાબા પડખાંમા કાપો મૂકી ને કિડની કાઢવામા આવી અત્યારે દર્દી એકદમ સ્વસ્થ છે. દર્દી એ ડોક્ટર તથા તેમની ટીમ નો આભાર માન્યો. દર્દીની તમામ સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફ્રી મા કરવામાં આવી છે.






Latest News