મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ


SHARE











મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીના રહેવાસીઓ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ નગરપાલિકાને આપે છે તેમ છતાં પણ નગરજનોને સારા રોડ રસ્તાની સુવિધા મળતી નથી તે વાસ્તવિકતા છે છેલ્લા મહિનાઓમાં પડેલા વરસાદના કારણે મોરબીના મોટાભાગના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને સતત 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને વાહન ચાલકો અને ખાસ કરીને વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

મોરબી પાલિકાનો રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં સમાવેશ થાય છે પરંતુ આ એ ગ્રેડની નગરપાલિકાના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા પણ સારા કહેવાય તેવા ભંગાર રસ્તા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ચાલુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે મોરબીના હોસ્પિટલ રોડ, વિજય ટોકીઝ રોડ, જુના બસ સ્ટેશન રોડ, તખતસિંહજી રોડ, પરશુરામ પોટરી રોડ સહિતના જુદા જુદા વિસ્તારની અંદર આવેલા મુખ્ય રસ્તા કે જ્યાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે તે રસ્તામાં ખાડા પડી ગયા છે અને આ ખાડા નિર્દોષ વાહન ચાલકો માટે જીવલેણ બની શકે તેવી પણ શક્યતાઓ છે તેમ છતાં પણ ખાડાનું સમારકામ કરવા માટેની તસ્તી પાલિકાની ટીમ દ્વારા લેવામાં આવતી નથી

 

આટલું જ નહીં પરંતુ જે વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે ત્યાં સતત 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીઓ પોતાની દુકાનમાં બેસીને વેપાર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જેથી કરીને કેટલાક વેપારીઓએ તો પોતાની દુકાનની અંદર ડસ્ટ ન આવે તે માટે થઈને પડદા રાખવા પડે છે આ ઉપરાંત વેપારીઓએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને પોતાની દુકાનમાં માસ્ક પહેરીને આજની તારીખે વેપાર ધંધા કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ મોરબીમાં થયું છે.

ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા પહેલા તો રોડ ઉપર પડેલા ખાડા અને ધૂળની સમસ્યા ઉકેલવામાં આવે અને ત્યારબાદ જે વિસ્તારની અંદર રોડ રસ્તાના કામ કરવાના છે તે કામ વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે અને હરહંમેશ ની જેમ સરકારી જવાબ એક જ છે કે "રોડ રસ્તા ના કામ ટૂંક સમયમાં ચાલુ થવાના છે" જો કે ક્યારે થશે તે સમય જ બતાવશે અને સૌથી મોટી વાત કરે જે રોડના કામ કરવામાં આવશે તે રોડ કેટલા સમય સુધી સારા રહેશે તેની કોઈ ગેરંટી આપતું નથી.

 






Latest News