મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં એક પખવાડિયા સુધી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં એક પખવાડિયા સુધી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન

14 નવેમ્બર- વિશ્વ ડાયાબિટીસ દિવસથી સમગ્ર ગુજરાતમાં વિશેષ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા થયેલ છે ત્યારે મોરબીમાં આવેલ સરસ્વતી શીશુ મંદિરમાં એક પખવાડિયા સુધી ખાસ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ યોજાનાર છે.

મોરબીમાં ડાયાબિટીસ દર્દીઓ માટે યોજાનાર યોગ કેમ્પની માહિતી આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લાની કોર કમિટી મેમ્બર મયુર કારીયાએ જણાવ્યુ હતું કે, ડાયાબિટીસ નિવારણ માટે વિશેષ યોગ કેમ્પનું મોરબીમાં તા.14 નવેમ્બરથી આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેવા માટે તમામ ડાયાબિટીસ દર્દીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ કેમ્પ શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે આવેલ સરસ્વતી શીશુ મંદિરમાં તા 14 થી 28 સુધી 15 દિવસ સવારના 6 થી 8 ચાલશે. અને ત્યાં દરરોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ, આયુર્વેદિક જાણકારી અને ઉપચાર આપવામાં આવશે. અને આ કેમ્પમાં ભાગ લેનાર વ્યક્તિ દીઠ ટોકન ચાર્જ રૂપે રૂપિયા 100 શિબિર સ્થળે પ્રથમ દિવસે આપવાના રહેશે. અને શિબિરમાં જોડાવવા માટે https://forms.gle/8RecmopcaqgcsCrZ9 ઓનલાઇન રજીસ્ટ્રેશન તા 10 સુધીમાં કરાવવાનું  છે અને આ કેમ્પમાં 100 વ્યક્તિઓને જ લેવાના છે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે વ્યક્તિઓને સમાવિષ્ઠ કરવામાં આવશે. વધુ માહિતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહ (99793 83797) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News