તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રસ્તા ઉપર ચાલવા બાબતે મજુર સાથે માથાકુટ: વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











વાંકાનેર શહેરમાં જીનપરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે રસ્તા ઉપર ચાલવા બાબતે મજૂર સાથે માથાકૂટ કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી અને સાહેદ વચ્ચે પડતા તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે યુવાનને હાથની હથેળીમાં ઇજા થઈ હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના જીનપરા જૂના ચંદ્રપુર રોડ ઉપર કબીર પાર્ટી પ્લોટની સામેના ભાગમાં રહેતા જીતેશભાઈ વાલજીભાઈ ધરજીયા (37)એ હાલમાં રફિકભાઈ જુમાભાઇ રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જીનપરમાં આવેલ રામજી મંદિર પાસેથી તેના મજૂર જયેશભાઈ જતા હતા ત્યારે રસ્તામાં ચાલવા બાબતે આરોપીએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદી અને સાહેદ વચ્ચે પડતા તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી વડે હુમલો કરવા જતા ફરિયાદીએ છરી પકડતા તેને હાથની હથેળીમાં ઈજા થઈ હતી જેથી આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News