તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે, તારે તેની સાથે શું સંબંધ છે કહીને મોરબીમાં પતિએ બોલાચાલી કરીને પત્નીનું ગળુ કાપી નાખ્યુ


SHARE











મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ મુરાનો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની વતનમાં ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારબાદ મહિલાના મોબાઈલ ફોન ઉપર કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હોય પતિ પત્ની વચ્ચે તે બાબતને લઈને બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પતિએ મારી નાખવાના ઇરાદે પત્નીને ગળાના ભાગ ઉપર છરીનો કાપો મારી દેતા તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રાજગઢ જિલ્લાના રહેવાસી સુનિલ રાધેશ્યામ માલવીય (25) એ હાલમાં કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળ બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા આરોપી કનૈયાલાલના પત્ની ધાપુબાઈ છેલ્લા છ થી સાત મહિનાથી તેના વતનમાં રહેતા હતા અને તેનો મોબાઇલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હતો અને તે મોબાઇલમાં કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હતા જેથી કરીને આરોપીને તેના પત્ની ધાપુભાઈના ચરિત્ર્યની શંકા ગયેલ હતી અને બેસતા વર્ષના દિવસે ધાપુબાઇ ફરિયાદી સાથે તેના વતનમાંથી મોરબી રહેતા તેના પતિ પાસે આવ્યા હતા અને ત્યારે ઓરડીમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી ત્યારે આરોપીએ ધાપુબાઈને કહેલ કે "તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે, તારે તેની સાથે શું સંબંધ છે" તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ છરી વડે ધાપુબાઇને ગળાના ભાગે તેના પતિએ કાપો મારી દેતા ધાપુબાઇનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીઆઈ એન.એ. વસાવા સહિતની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે






Latest News