મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE











મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

સંસ્કૃત વિદ્યા વાયસ્પતી, વ્યાકરણ શાસ્ત્રી મહા મહોપાધ્યાય પુ. શ્રી શંકરલાલ શાસ્ત્રીની કાયમી સ્મૃતિ જાળવવા માટે મોરબી મહારાજા સાહેબશ્રી લખધીરસિંહજી સાહેબે ૯૦૦૦ ચોરસ ફૂટ જમીન પર શંકર આશ્રમનું બાંધકામ કરી વર્ષ ૧૯૨૮ માં ટ્રસ્ટને અર્પણ કર્યું હતું જેના જીર્ણોધ્ધાર અર્થે આગામી તા.૩-૧૧ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટ મોરબી દ્વારા તા.૩-૧૧ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જેની પુર્ણાહુતી તા.૯-૧૧ ના રોજ થશે દરરોજ કથાનો સમય બપોરે ૩ થી ૭ સુધીનો રહેશે જેમાં શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી (રાધેકૃષ્ણ) ના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન કરાવશે તા. ૦૩ ના રોજ પોથીયાત્રા યોજાશે તેમજ કથા દરમિયાન તા.૬ ના રોજ શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, તા.૭ ના રોજ ગોવર્ધન લીલા, તા.૮ ના રોજ શ્રી રુક્ષ્મણી વિવાહ ને તા.૯ ના રોજ મહાપ્રસાદ યોજાશે.






Latest News