હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય રજૂઆત કરે: મોરબી કોંગ્રેસનાં આગેવાનની માંગ


SHARE











ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય રજૂઆત કરે: મોરબી કોંગ્રેસનાં આગેવાનની માંગ

મોરબી પાંજરાપોળ  ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદના લીધે ધર્મસભા થઈ શકી ન હતી અને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ આશીર્વચન આપીને નીકળી ગયા હતા અને આગામી સમયમાં તેઓ પાછા ત્યાં ધર્મ સભા કરવા માટે આવશે તેવી જાહેરાત તેઓએ કરેલ છે જો કે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ માંગ કરી છે.

મોરબીની પાંજરાપોળ ખાતે ગઇકાલે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદના લીધે ધર્મ સભા થયેલ ન હતી પરંતુ પત્રકારોએ ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગને લઈને સવાલ કર્યો હતો ત્યારે સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ કહ્યું હતું કે, ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની વર્ષોથી માંગ કરવામાં આવે છે જેથી સાધુ સંતો અને હિન્દુની માંગને ધ્યાને લઈને સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઈએ ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઈને સાધુ સંતો તેમજ હિન્દુઓની વર્ષો જૂની માંગણી સંતોષાય તે માટે ગુજરાત વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે રજૂઆત કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.




Latest News