મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ


SHARE











મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ

મોરબીમાં રહેતા યુવાનના દીકરાને જન્મથી બીમારી હતી જેથી તેની સારવાર માટે વાહનની સામે વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો હતો. અને તેને જુદાજુદા ત્રણ વ્યક્તિ પાસેથી સમયાંતરે વ્યાજે રૂપિયા લીધેલ હતા જે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને યુવાનને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ વવાણીયા ગામનો રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇની પાછળના ભાગમાં રહેતા અને એલ્યુમીનીયમ સેકશનનુ મજુરી કામ કરતાં વસંતભાઈ જેરાજભાઈ વાઘેલા જાતે કોળી (24)એ મોરબી એ ડિવિઝન ખાતે ભોલુ જારીયામહીપતસિંહ જાડેજા અને જીવણભાઇ બોરીચા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના દીકરાને જન્મથી જ બીમારી હતી જેથી કરીને તેને સારવાર માટે બે લાખ જેટલો ખર્ચ થયેલ હતો માટે તેને તેના મિત્ર પાસેથી ભોલુ જારીયાના નંબર લઈને તેની પાસેથી સ્વીફટ કાર આપીને માસીક પાંચ ટકા વ્યાજ લેખે રૂપિયા વ્યાજે લીધેલ હતા. ત્યાર બાદ ભોલુ જારીયા રૂપિયાની ઉઘરાણી કરતો હતો અને તેના રૂપિયા આપવા માટે ભોલું જરિયાને આપેલ ગાડી વેંચવા માટે પાછી માંગી હતી તે ગાડી પાછી આપેલ ન હતી, અને ગાળો આપીને ધમકી આપી હતી.

ત્યારબાદ ફરિયાદીએ મહીપતસિંહ જાડેજા પાસેથી દરરોજના 400 લેખે 40 હજાર રૂપિયા વ્યાજે લીધેલ હતા. જે રૂપિયાની ફોન કરીને મહીપતસિંહ ઉઘરાણી કરીને “રૂપીયા આપી જજે નહી તો પગ ભાંગી નાખવા પડશે” તેમ ધમકી આપી હતી. ત્યાર બાદ જીવણભાઇ બોરીચા રહે. ખાખરાળા વાળાનો સંપર્ક થયો હતો અને તેની પાસેથી માસીક ૧૦ ટકા વ્યાજે ફરિયાદીના મોટા ભાઈ રવીભાઈનુ એકટીવા નં. GJ-36-P-5284 અને એક મોબાઇલ ફોન ઓપ્પો કંપનીનો F27 પ્રો આપેલ હતો તેની સામે જીવણભાઈએ 55 હજાર રૂપિયા આપેલ હતા. જે વ્યાજની ઉઘરાણી કરી હતી અને ફરિયાદીને ત્રણેય શખ્સો દ્વારા  ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે આરોપી પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા જાતે બોરિચા (26) રહે. દેવ વ્રત એપાર્ટમેંટ બ્લોક નંબર 303  રવાપર રેસિડેન્સી મોરબી વાળને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News