ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે


SHARE











મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

આગામી દિવાળીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે

મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ચોકલેટ બરફી, પીસ્તા બરફી, પનીર લાડુ, થાબડી, ટોપરાપાક જેવી મીઠાઈ 130 રૂપિયામાં 500 ગ્રામ આપવામાં આવશે તેમજ ખટમીઠું ચવાણું, મિક્સ ચવાણું, પંચરત્ન ચવાણું, ચકરી અને બેબી ભાખરવડી 60 રૂપિયાનું 500 ગ્રામ, નડીયાદી ભુસુ, બોમ્બે ભેળ, રોલ પુરી 70 રૂપિયાનું 500 ગ્રામ મળશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, જે લોકોને મીઠાઈ તેમજ ફરસાણ લેવાના હોય તેમને અગાઉથી બુકિંગ કરાવવું પડશે. જેના માટે બુકિંગ તા. 18 થી 23 સુધી કરવામાં આવશે. આ મીઠાઈ અને ફરસાણનું વિતરણ તા. 27 ના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી ટેકરી મેઈન રોડ પર જુની એચડીએફસી બેંકની બાજુમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રાઘવજીભાઈ મનજીભાઈ અઘારા અને આશકભાઈ રમજાનભાઈ નવોડીયાનો આર્થિક સહયોગ આપેલ છે.

જે લોકોને બુકિંગ કરાવવું હોય તેમને ગૌતમ ક્લોથ સ્ટોર્સ, જેલ રોડ, શશીભાઈ મહેતા (9824616089), વિકાસ ઓટો મોબાઈલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા (9825644991), કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ (9909215520), ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઈન રોડ કિરીટભાઈ સંઘવી (9429097765), કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-3, ચકીયા હનુમાન (9879963762), શ્રદ્ધા અગરબત્તી, એ.કે.કુ. પાસે, ડાયમંડ બ્યૂટી પાર્લરની બાજુમાં (9624457199), અલ્પાબેન કક્કડ, લખધીરવાસ લક્ષ્મીનારાયણ શેરી (9023104446), ભારતીબેન રાચ્છ, વાવડી રોડ, કૃષ્ણનગર-2, ગાયત્રીનગર-4 (9099347773) નો સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News