મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

હળવદના સમલી ગામે માતાજીના માંડવામાં ચક્કર આવતા મોરબીના યુવાનનું મોત


SHARE











હળવદના સમલી ગામે માતાજીના માંડવામાં ચક્કર આવતા મોરબીના યુવાનનું મોત

હળવદ તાલુકાના સમલી ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો યુવાન પણ ગયો હતો અને ત્યાં માતાજીના માંડવામાં આજે વહેલી સવારે ચક્કર આવતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા મહેશભાઈ ભગવાનજીભાઈ બહેરા જાતે ભરવાડ (37) નામના યુવાને માતાજીના માંડવામાં ચક્કર આવતા તેનો મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝનને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના સમલી ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેશભાઈ ગયા હતા અને ત્યાં માતાજીના માંડવામાં તેઓને ચક્કર આવતા તેમનું મોત નીપજયું હતું તેવી માહિતી સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં મેલડી માતા મંદિર પાસે રહેતા રવિ બાબુભાઈ હમીરપરા નામના ૪૫ વર્ષના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે તાલુકાના ઝીંઝુડા ગામે પાડોશી સાથેના ઝઘડા બાદની મારામારીમાં ઈજા પામેલ હલીમાબેન ઇલિયાસભાઈ નોડે નામના ૩૫ વર્ષીય મહિલાને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જે અંગે તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News