મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

અમારી ગાય કદી કતલ ખાને ન જાય સુત્રને સાર્થક કરતા ટંકારાના લજાઇ ગામે ગૌસેવાના કામનાં ઘાઘરી પહેરાતા પણ નથી અચકાતા ઉધોગકારો-આગેવાનો


SHARE











અમારી ગાય કદી કતલ ખાને ન જાય સુત્રને સાર્થક કરતા ટંકારાના લજાઇ ગામે ગૌસેવાના કામનાં ઘાઘરી પહેરાતા પણ નથી અચકાતા ઉધોગકારો-આગેવાનો

આજે શહેરની શેરી અને ગલ્લીમાં ગાય તેમજ ગૌ વંશ રજડતા જોવા મળે છે જો કે, મોરબી જીલ્લામાં આવેલ લજાઈ ગામમાં ગાય કે ગૌ વંશ રજડતા જોવા મળતા નથી કેમ કે. આ ગામે વર્ષો પહેલા સંકલ્પ કર્યો હતો કે “અમારી ગાય કદી કતલ ખાને ન જાય” જેને આજની તારીખે પણ ગામના ઉદ્યોગકારો, આગેવાનો અને યુવાનો સાર્થક કરી રહ્યા છે અને ગાયોના લાભાર્થે ગામના યુવાનો નવરાત્રીના એક દિવસ નાટકનું આયોજન કરે છે જેમાં ઉદ્યોગકાર અને ગામના જ યુવાનો ઘાઘરી પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા પણ આંચકાતાં નથી.

વર્તમાન સમયમાં લોકો ટીવી સીરીયલ, મોબાઈલમાં રચ્યા પચ્યા રેહતા હોય છે ત્યારે મોરબી નજીકના લજાઈ ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે એક એતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જે જોવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો લજાઈ ગામે જતા હોય છે અને ગામમાં આવેલ કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ, માંદી અને અશક્ત પોણા બસો જેટલી ગાયોના લાભાથે નાટકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ગાયોની સેવા માટે ભજવતા નાટકમાં ગામના જ યુવાનો દ્વાર અદભુત અભિનય રજુ કરવામાં આવે છે. તેવુ ગામના વેપારી યુવાન અને કલાકાર ચંદ્રેશભાઇ ભવાનભાઇએ જણાવ્યુ છે

તો બગથળા નકલંક મંદિર મહંત દામજી ભગતે જણાવ્યુ હતુ કે, લજાઈ ગામે ગામના યુવાનો દ્વારા જે નાટક કરવામાં આવે છે તેને જોઇને યુવાનોની કલા ઉપર દાનની સરવણી વહાવી દેતા હોય છે આ વર્ષે "ક્રુષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ" સાથે હાસ્ય રસીક કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, દરવર્ષે નવરાત્રીમાં ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના શિક્ષિત યુવાનો, સરકારી અધિકારી, ઉદ્યોગપતિ કે અન્ય કોઈપણને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે. અને મહત્વની વાત તો એ છે કે આ ગામના બાળકો, યુવાનો કે વૃધ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈને કોઈ પણ પાત્ર દેવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પૂરો ન્યાય આપે છે અને વર્ષમાં એક જ રાતમાં ભજવતા નાટકમાં ગાયોની સેવા માટે લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે. તેવુ કારખાનેદાર અને કલાકાર રમેશભાઇ મસોતે જણાવ્યુ છે.

આ ગામમાં લગભગ આજથી 60 વર્ષ પહેલાં કામધેનુ વિસામો ગૌશાળાની સ્થાપના સોહમદત બાપુ દ્વારા કરવામાં આવી હતી જેના પાછળનો મુખ્ય ઉદેશએ હતો કે, “અમારી ગાયો કદી કતલખાને નહિ જાય” જેને સાર્થક કરવા માટે ગ્રામજનો દ્વારા પણ પૂરો સહયોગ આપવામાં આવી રહયો છે અને ખાસ કરીને નવરાત્રી દરમ્યાન જુદાજુદા એતિહાસિક નાટકો ભજવવામાં આવે છે તેમાં ગામમાં યુવાનો આગેવનો સહિતના કલાકાર તરીકે જોડાય છે અને યુવાનો દ્વારા ભજવવામાં આવતા નાટકને માણવા માટે સમગ્ર ગામ આવે છે અને ગાયોની સેવા માટેના કાર્યમાં સહુ કોઈ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપતા હોય છે.

લજાઈ ગામે ગાયો ના લાભાર્થે યોજાયેલ નાટકમાં સ્ત્રી પાત્ર એટલે કે રાણી તેમજ દાસીના પાત્ર ભજવનારા યુવાનો કહે છે કે, ગામો ગામ ગાયોની અવદશા જોવા મળે છે પરંતુ અમારા ગામમાં કોઈ પણ શેરી ગલ્લીમાં ગાય રખડતી જોવા મળતી નથી કેમ કે ગામના યુવાનો સહિતના ગાયોના લાભાર્થે કરવામાં આવતા દરેક કાર્યમાં સહકાર આપે છે અને ગાય માતાના સેવા કર્યા માટે ઘાઘરી પેહારીને પાત્ર ભજવવામાં શિક્ષિત યુવાનો સહિતના કોઈ સંકોચ અનુભવતા નથી અને ભવાય નાટકની આપણી સંસ્કૃતિ જોડવાઈ રહે તે માટેના પ્રયાસોમાં પણ સિધ્ધી કે આડકતરી રીતે આ યુવાનો સહયોગ આપી રહ્યા છે. તેવુ કલાકાર અને ગામના રહેવાસી ભુપેન્દ્રભાઇ નિમાવતે જણાવ્યુ છે.

અત્રે ઉલેખનીય છે કે લજાઈ ગામે યોજાતું નાટક એટલુ લોકપ્રિય બન્યુ છે કે અહીં નાટક જોવા માટે આજુબાજુના ગામોથી પણ લોકો આવે છે આટલું જ નહિ આ ગામની દીકરી સાસરે હોય ત્યાંથી ખાસ કરીને નવરાત્રી ઉપર નાટકને જોવા માટે ઘણા પરિવારો દ્વારા બોલાવવામાં આવતી હોય છે આમ નવરાત્રીમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે અને આજના આધુનિક યુગમાં મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહે તે માટે લજાઈ ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે જો બીજા ગામના લોકો પણ તેમાંથી પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ અને લજાઈ ગામના લોકોના કહેવા મુજબ ગાયોના લાભાર્થે યોજાતા એક જ નાટકથી લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે.






Latest News