ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

હળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા 8 શખ્સો 1.46 લાખની રોકડ સાથે પકડાયા, એક ફરાર


SHARE











હળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા 8 શખ્સો 1.46 લાખની રોકડ સાથે પકડાયા, એક ફરાર

હળવદના જુના ધનાળા ગામે ઘરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા આઠ શખ્સોને એલસીબીની ટીમે 1.46 લાખની રોકડ સાથે પકડી લીધા હતા જો કે, એક શખ્સ નાશી ગયેલ હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.  

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાના ઘરમાં મોરબી એલસીબીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા ઘરધણી ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રવિણભાઇ ઉર્ફે પવો ગાંડાભાઇ ચાવડા, ચંદ્રકાંતભાઇ દેવજીભાઈ અધારા, કિરણભાઇ જીલુભાઈ ઝીંઝુવાડીયા, અજીતભાઈ સોમાભાઈ ગોહિલ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ, ગોપાલસિંહ જીતુભા જાડેજા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઈ લક્ષમણભાઇ સરાવાડીયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1,46,600 ની રોકડ કબજે કરી હતી અને પોલીસે રેડ કરી હતી ત્યારે મહેમુદ ઉર્ફે રેવુ ઉર્ફે રેવડી નથુભાઇ સિપાઇ નામનો શખ્સ નાસી ગયો હતો જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નવ શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News