મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને કરેલ કમાણીની રિકવરી-લેન્ડ ગગ્રેબિંગનો ગુનો નોંધવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને કરેલ કમાણીની રિકવરી-લેન્ડ ગગ્રેબિંગનો ગુનો નોંધવા કોંગ્રેસની માંગ

મોરબી  શહેર જિલ્લામાં ભાજપના આગેવાનો પહેલા સરકારી જમીનનો કબજો કરે અને પછી કહે કે તેને દબાણ કરેલ જમીન ખાલી કરી નાખેલ છે આ તો કેવી વાતો સરકારી જમીન પર  અત્યાર સુધી દબાણ કરી લાખો રૂપિયાની કમાણી કરી હવે ભાજપના આગેવાન સરકારના પક્ષમાં હોય  સ્વયંભૂ દબાણ દૂર કરીને જમીન ખાલી કરે છે.

મોરબી શહેરની પ્રજાને તો એવું લાગે છે કે મોરબીનું રેવન્યુ તંત્ર અને કલેકટર ભાજપના આ આગેવાનના ઘૂંટણીએ પડી ગયેલ છે. કારણ કે તાજેતરમાં નાગબાઈ માતાજીનાં મંદિરનુ ડિમોલિશન તંત્ર દ્વારા કરવાં આવ્યું છે તો પછી ભાજપના આગેવાને જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેનું ડિમોલિશન કેમ કરવામાં આવ્યું નહીં ? તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા ઉઠાવવામાં આવેલ છે. અને વધુમાં કહ્યું છે કે સામાન્ય માણસે જો દબાણ કર્યું હોય તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવે છે તો પછી ભાજપના આગેવાને તો વર્ષો સુધી સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તો પછી તેની સામે કેમ અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવી રહી નથી તે પણ તપાસનો વિષય છે. અને વધુમાં મહેશભાઇ રાજ્યગુરુએ કહ્યું છે કે, જો રેવન્યુના અઘિકારી અને કલેકટર ભાજપ કે પછી ભાજપના આગેવાનથી ડરતા ન હોય તો સરકારી જમીન ઉપર દબાણ કરીને ભાજપના આગેવાને જે કમાણી કરેલ છે તેની રિકવરી કરવામાં આવે અને ભાજપના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી તેની માંગ છે.






Latest News