ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વિરપુર (જલારામ ધામ) ખાતે યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે


SHARE











વિરપુર (જલારામ ધામ) ખાતે યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે

વિરપુર (જલારામ ધામ) ખાતે તા.૨૯-૯ ના રોજ યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે અને તેઓ મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે અને લોહાણા મહાજન સહીતની સંસ્થાઓના હોદેદારો રઘુવંશી મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં જોડાશે તેવું મોરબીના આગેવાનોએ જણાવ્યુ છે.

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા વિરપુર (જલારામ ધામ) ખાતે આગામી તા.૨૯-૯-૨૦૨૪ રવિવારના રોજ સંસ્થાના નવનિર્વાચિત અધ્યક્ષ જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ ઉપરાંત રઘુવંશી સમાજના મહાસંમેલનનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્ર્સ્ટ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહીતની લોહાણા સમાજની સંસ્થા દ્વારા આ મહાસંમેલનમાં જોડાવવા સમસ્ત લોહાણા સમાજને અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી તા.૨૯-૯ રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા મહાસંમેલનમાં જવા પ્રસ્થાન કરવામાં આવશે. શ્રી લોહાણા મહાજન-મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા મહાસંમેલનમાં જવા માટે બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થાના ભાગરૂપે અગાઉ થી નામ નોંધાવવું આવશ્યક હોય નામ નોંધાવવા માટે નરેન્દ્રભાઈ રાચ્છ(મંત્રી શ્રી લોહાણા મહાજન-મોરબી, ૯૯૨૫૯ ૮૫૩૯૪) તથા કીશોરભાઈ ઘેલાણી (૯૪૨૮૨ ૮૦૧૭૦) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને જે લોકો પર્સનલ કારથી મહાસંમેલનમાં જોડાવવાના હોય તેમણે પ્રતાપભાઈ ચગ (૯૮૨૫૮૨૭૭૭0), પારસભાઈ ચગ (૯૦૩૩૦૦૭૮૯0)તથા સચિનભાઈ કાનાબાર (૯૭૨૬૧૨૨૦૦9)નો સંપર્ક કરવા લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ  યાદીમાં જણાવ્યુ છે. તેમ નિર્મિત કક્કડ (કન્વીનર, લોહાણા મહાજન –મોરબી)એ જણાવ્યુ છે.






Latest News