મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રોટરીગ્રામ(અ), બગથળા, નવાસાદુળકા અને ભરતનગર ગામની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશનું વિતરણ


SHARE







મોરબીના રોટરીગ્રામ(અ), બગથળા, નવાસાદુળકા અને ભરતનગર ગામની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશનું વિતરણ

જગત જનની આદ્યશક્તિ મા જગદંબાના નવલા નોરતા એટલે શક્તિ ઉપાસનાનાં દિવસો,  ગુજરાતીઓ માટે રાસ ગરબાની પરંપરાને ઉજાગર રાખવાના દિવસો, મા જગદંબાના સ્વરૂપ નાની નાની દીકરીઓ પારંપરિક આભૂષણો ધારણ કરી મા જગદંબાના ગરબા રમી શકે તે હેતુથી સ્વ. પિતા વિઠલભાઈ ચકુભાઇ પાંચોટીયાના સ્મરણાર્થે રાજુભાઈ, ભુપતભાઇ અને વિજયભાઈ તરફથી રોટરીગ્રામ (અ ), બગથળા, નવાસાદુળકા અને ભરતનગર  પ્રાથમિક શાળાની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, યજ્ઞ, તપ અને દાનનો ભારતિય સંસ્કૃતિમા વિશેષ  મહિમા રહ્યો છે  ત્યાંરે છેલ્લા ઘણા વર્ષોથી દિપનિધિ ઈમીટેશન મોરબી દર વર્ષે નવરાત્રિ ઉત્સવ નિમિત્રે શાળાની દીકરીઓને અલગ અલગ વસ્તુઓની લહાણી કરી સાત્વિક દાનની પરંપરાને ઉજાગર કરે છે. "શુર હજારોમા એક મળે પણ દાતા લાખોમા કે અનેકમા એક મળે " દિપનિધિ ઈમીટેશન તરફથી મોરબીની  આજુબાજુની શાળામા દર વર્ષે શૈક્ષણિક  અનુદાન આપી  સાચા અથઁમાં દાનના મહિમાને  ચરિતાર્થ  કરે છે. શિક્ષણના મહાયજ્ઞમા દર વર્ષે વિત્તનું સમિધ ધરતા રહેલા દિપનિધી ઈમીટેશનનું ચારેય શાળા વતી ૠણ સ્વીકાર કરવામાં આવે છે.






Latest News