મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ


SHARE











મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાઇ રહી છે જેની વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ત્યાર બાદ ચીફ ઓફિસર ત્યાં દોડી આવ્યા હતા અને તેને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી. જેથી લોકોએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધેલ છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે તો સમય બતાવશે.

મોરબી શહેરના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે જો કે, તેની પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી અને તે વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે જેથી લોકોમાં પાલિકા સામે ભારોભાર આક્રોશ છે તેવામાં સ્થાનિકો મહિલાઓ સહિતના લોકોએ ગુરુવારે શનાળા રોડે ચક્કાજામ કર્યો હતો. જેથી કરીને પાલિકાની ટીમો અને ચીફ ઓફિસર ત્યાં આવ્યા હતા અને લોકોની સાથે વાત કરીને તેઓની સમસ્યાને ઉકેવાની ખાતરી આપેલ હતી. જો કે, આ લોકોની સમસ્યાનો કાયમી નિકાલ આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.






Latest News