વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા


SHARE











મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા

થોડા સમય પહેલા જમ્મુ - કસ્મીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ જેમાં પંજાબના ૩ઉત્તરપ્રદેશના ૧કેરળના ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ હતા ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ હોય તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતારામ ચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને બે દિવસમાં અજય લોરીયા અને તેની ટીમે ૧૧.૨૬ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા.

જેમાંથી હાલમાં અજયભાઈ લોરીયા અને તેની ટિમ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં વણઝારીયા ગામના રહેવાસી શહિદ હરિશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર સહિતના હાજર રહયા હતા.વધુમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના મેન્ટોર અજયભાઇ લોરીયાએ જણાવ્યુ હતું કે, શહિદ થયેલા હરિશસિંહની તેઓ શહિદ થયા તેના એક સપ્તાહ પહેલા જ સગાઈ થઇ હતી અને તેઓ આંતકી હુમલામાં શહિદ થયા હતા.






Latest News