ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદમાં એસટી બસનું ટાયર ફરી જતાં આધેડનું ઘટના સ્થળે મોત


SHARE











હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ ગુરુવારે બપોરે શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એસટી બસના ચાલકે આધેડના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં હળવદથી ઘરે જતાં અજીતગઢ ગામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને પોલીસે ભોગ બનેલા આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.


જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં હીરાવાડી પાસેથી ગુરુવારે બપોરે હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે વિનોબા ગ્રાઉન્ડ પાસેથી અજીતગઢ ગામના મનુભાઈ ગોકળભાઈ લોરીયા (55) પોતાનું બાઈક લઈને હળવદથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે એસટી બસના પાછળના જોટામાં આધેડ આવી ગયા હતા જેથી કરીને એસટી બાસનું ટાયર ફરી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી હતી.






Latest News