ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ


SHARE











મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ

સુપ્રિમ કોર્ટનાં જજોએ અનુસુચિત જાતિ, જનજાતિનાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ ભારત બંધનું એલાન આપ્યું હતું જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અનુસુચિત જાતિ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી રેલી નીકળી હતી અને મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટનાં જજ કાયદો ન ઘડી શકે, સંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે. અને હાલમાં ભારત બંધના એલાનના સમર્થનમાં મોરબી આગેવાનો સહિતના લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી કેટેગરીમાં પણ પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરી છે તે ચુકાદાનો અમે સખ્ત વિરોધ કરીને નવો કાયદો રદ્દ કરીને જુનો કાયદો હતો તેને ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News