મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ
મોરબીના નવયુગ કોલેજમાં CPR, આકસ્મિક બચાવકાર્ય અંગે સેમિનાર યોજાયો
SHARE
મોરબીના નવયુગ કોલેજમાં CPR, આકસ્મિક બચાવકાર્ય અંગે સેમિનાર યોજાયો
મોરબીની નવયુગ કોલેજમાં સુરેશભાઈ ગામી દ્વારા B.Sc ના વિદ્યાર્થીઓને CPR અને આકસ્મિક સમયે બચાવ કાર્ય કરતી વખતે કેવી સાવચેતી રાખવી તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સુરેશભાઈ ગામી ફર્સ્ટ એડ માસ્ટર ટ્રેનર, તેમજ ફર્સ્ટ મેડીકલ રિસ્પોન્ડર, શોશ્યલ અને ઈમરજન્સી રોસ્પોન્સ વોલેન્ટયર તથા CPR નાં નેશનલ ફેસીલીટર છે. તેઓ ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં કન્સલ્ટન્ટ રહી ચુક્યા છે, રેડ ક્રોસના ડીરેક્ટર રહી ચુક્યા છે. ગુજએડ ડીઝાસ્ટર એન્ડ ફર્સ્ટ એડ ફાઉંડેશનનાં ચીફ ટ્રેઈનર અને પ્રોગ્રામ સ્પેશિયાલીસ્ટ હતા. આ સેમિનાર પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો