મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ભારત બંધને ટંકારા શહેર-તાલુકામાં સમર્થન: આવેદનપત્ર આપ્યું


SHARE











ભારત બંધને ટંકારા શહેર-તાલુકામાં સમર્થન: આવેદનપત્ર આપ્યું

21 ઓગષ્ટ 2024 નાં દિવસે ભારત બંધનું એલાન આપવામાં આવું હતું ત્યારે ટંકારા તાલુકા અને શહેરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અને સુપ્રિમ કોર્ટનાં જજોએ અનુસુચિત જાતિજનજાતિનાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ ભારત બંધનું આહવાન કર્યું હતું. જેમાં બહુજન સમાજનાં હિતેચ્છુ બહેન કુમારી માયાવતીજીએ આ બંધનાં મૂદ્દે સમર્થન આપી સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટનાં જજ કાયદો ન ઘડી શકેસંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે. એવી ટકોર કરી હતી. ટંકારા શહેર અને તાલુકામાં મોટેભાગે વેપારી વર્ગો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. અને અનુસુચિત જાતિ. જનજાતિ સમુદાયના લોકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ટંકારા મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આયુ હતું અને અનામત વિષયે સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલ જજમેન્ટને સંસદીય પ્રક્રિયાથી સુધારણાં પર લાવવાં અથવા પરત ખેંચવામાં નહીં આવે તો સમસ્ત બહુજન સમાજને ઉગ્ર આંદોલનનાં રસ્તે જવું પડશે તેવી રજૂઆત બહુજન અગ્રણી નાગજીભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.




Latest News