મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રોટરીગ્રામ (અ.)-વીરપરડા ગામે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ


SHARE











મોરબીના રોટરીગ્રામ (અ.)-વીરપરડા ગામે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગામમાં રરેલી પણ કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગામના આગેવાન પાંચોટીયા યોગેશભાઈ જેરામભાઈ અને પાંચોટીયા રાજેશભાઈ પ્રભુભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ તકે એસએમસીના અધ્યક્ષ પાંચોટીયા કિરીટભાઈ માવજીભાઈ અને ગામના લોકો વિદ્યાર્થીઓ શિક્ષકો વગેરેએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. તેમજ યોગેશભાઈ અને રાજેશભાઈ તરફથી શાળા વિકાસમાં પાંચ-પાંચ હજાર દાન આપવામાં આવ્યું હતું. તેવું શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાએ જણાવ્યુ છે. આવી જ રીતે મોરબીના વિરપરડા ગામમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાષ્ટ્ર ધ્વજ આકાશમાં લહેરાવીને તેને સલામી આપવામાં આવી હતી. અને મહાવીરસિંહ જાડેજા સહિતના ગામના આગેવાનોની હાજરીમાં ગામમાં તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી.






Latest News