મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગાંધીનગરથી પકડાયો


SHARE











મોરબીના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગાંધીનગરથી પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2007 માં વિશ્વાસઘાત અને છેતરપીંડીની બે ફરિયાદ નોંધાયેલ હતી જે બંને ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીની ગાંધીનગર વિસ્તારમાંથી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ધરપકડ કરેલ છે. અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરલે છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટેની કામગીરી કરવામાં આવે છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના હીતેન્દ્રસિંહ ચુડાસમા, રામભાઇ મંઢ, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. ત્યારે ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007 માં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડીના બે ગુનામાં આરોપી હીતેષભાઇ ધીરૂભાઇ પટેલ રહે. નીકોલ આકાંક્ષા બંગ્લોઝ બાપુનગર અમદાવાદ વાળો હાલે ગાંધીનગર પાલમ રોડ સરધાસણ ખાતે આવેલ સ્વીટસુક એપાર્ટમેન્ટ નેનોસીટી ખાતે છે જેથી કરીને પીએસઆઈ વી.એન.પરમાર અને ટીમ  ગાંધીનગર પહોચી હતી અને આરોપી હીતેષભાઇ ધીરજલાલ સીરોયા (52) રહે. હાલ નાગપુર કામતી રોડ ઓરેન્જસીટી બી/૫૪ જી.નાગપુર (મહારાષ્ટ્ર) મુળ ગામ કમી (કેરાળા) તા. ધારી જીલ્લો અમરેલી વાળાને હસ્તગત કરીને મોરબી લાવ્યા હતા અને આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News