ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા


SHARE











મોરબી જીલ્લાના માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા

પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી


મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના વેણાસર ગામે યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે.બનાવની જાણ થતા પીએસઆઇ ચુડાસમા અને પોલીસ સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડીને બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા મુજબ માળીયાના વેણાસર ગામના રહેવાસી રણજીતભાઈ મહિપતભાઈ કુંવરિયા નામના ૩૨ વર્ષીય યુવાનની તા.૨૮ ના રોજ બપોરનાગાળે નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હોય બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક રણજીતભાઇ કુંવરીયાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો.મૃતકના પરિવારજનોની ફરીયાદ લઇને હત્યાના બનાવને અંજામ આપનારને ઝડપી પાડવા પીએસઆઇ ચુડાસમાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હત્યારા કાર ચાલકે પોતાની કારની મૃતક રણજીતભાઇની ઉપર ફેરવી દીધી હોય અને તેના લીધે ગંભીર ઇજાઓ થવાથી રણજીતભાઇનું મોત નિપજયુ હોવાનું હાલ જાણવા મળેલ છે.જોકે કયા કારણોસર બનાવ બન્યો અને કોણ હત્યા નીપજાવીને નાસી છૂટ્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News