ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ મથકમાં પ્રોબેશન પીઆઈ તરીકે નયનકુમાર વસાવા મુકાયા


SHARE











૨૦૧૮ ની બેન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરે ટંકારા તાલુકામાં પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે હાલ પ્રોબેશન પિરિયડમાં રહેલા નયનકુમાર વસાવાએ ચાર્જ સંભાળ્યો છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનેગારોને કાયદાનો ભાન કરાવવા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી તાગ મેળવી રહ્યા છે. દિવાળી ટાંણે ચોરીના બનાવો ન બને અને ખરીદીની ભીડમાં પણ અનિચ્છનીય બનાવ રોકવા તેઓએ કમર કસી છે ત્યારે મકાન માલિકો વેકેશન દરમિયાન માદરે વતન કે ફરવા જતા હોય ત્યારે સાવચેતી રૂપે પોલીસ મથકે જાણ કરવા અથવા બિટ જમાદારને જણાવી અગમચેતી વાપરવા માટે જણાવ્યું છે.

પીઆઈ વસાવા સાથે વાત કરતા જાણવા મળ્યું કે એક સોથી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરોની ભરતીમાં પ્રથમ વખત પરીક્ષા આપી ઉત્તિર્ણ થયા જે આજની યુવા પેઢીને શિખવા જેવી બાબત છે કે ધ્યેય તરફની ગતિ લક્ષ્ય સુધી પહોંચાડે જ છે તે સુત્રને વળગી રહીને નયનકુમાર વસાવાએ સંપ-સેવા અને સુરક્ષા માટે ખાખી વર્દી થકી લોક સેવાની પસંદગી કરી છે.






Latest News