મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમે મંદિરમાંથી ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરી


SHARE







હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમે મંદિરમાંથી ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અજાણ્યા શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને મંદિરના અંદરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરીને ચાંદીના કુલ મળીને ત્રણ કિલો વજનના બે છતર જેની કુલ કિંમત 75 હજાર રૂપિયા થાય તેની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમાટાઉનશીપની બાજુમાં આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા જાતે દરબાર (32) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે.જેમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મંદિરના દરવાજાના તાળાને તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખવામાં આવેલ ચાંદીના બે છત્તર જેનો કુલ વજન ત્રણ કિલો જેટલો થાય છે.તે 75 હજાર રૂપિયાની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે.જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ચાર બોટલ દારૂ

મોરબીમાં વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1200 રૂપિયાની કિંમતનો દારૂ તથા એકટીવા નંબર જીજે 36 પી 3901 જેની કિંમત 50 હજાર રૂપિયા આમ કુલ મળીને 51,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે યુવરાજભાઈ વનરાજભાઈ સગર જાતે રજપૂત (29) રહે.નાની વાવડી સંત કબીર સોસાયટી મોરબીની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

બીયરનું એક ટીન મળ્યું

વાંકાનેરથી જડેશ્વર તરફ જવાના રસ્તા ઉપર વરડુસર તળાવ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવતા પોલીસે 100 રૂપિયાની કિંમતનું બિયરનું ટીન કબજે કરીને અરશદ ઉર્ફે સદામ લિયાકતભાઈ ખલીફા જાતે મુસ્લિમ (31) રહે ટંકારાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News