મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત 


SHARE











મોરબીના રવાપર ગામે ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત 

મોરબીના રવાપર ગામે કોઇ અગમ્ય કારણોસર પટેલ યુવાને તેના ફલેટમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.બનાવના કારણ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ગામે આવેલી શક્તિ ટાઉનશીપ વિસ્તારમાં આવેલ શુકુન હાઈટ ફ્લેટ નંબર-૧૦૧ માં રહેતા આકાશ વાઘજીભાઈ કાસુન્દ્રા નામના ૩૦ વર્ષીય પટેલ યુવાને તેના ફલેટમાં કોઈ અગમ્ય કારણોસર ગત રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.બનાવને પગલે તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.હાલ કયા કારણોસર મૃતક આકાશ કાસુંન્દ્રાએ અંતિમ પગલું ભર્યું તે પોલીસ તપાસનો વિષય છે.

સતવારા યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. હળવદ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ચરાડવા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરની સામે રહેતા ભરતભાઈ ડાયાભાઇ સોનગ્રા જાતે દલવાડી નામના ૩૮ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને દવાખાને લઈ જવામાં આવતાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશ ડાયાભાઈ સોનગ્રાએ પોલીસને જાણ કરી હતી.જેથી કરીને હળવદ તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.પી.રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.

વૃધ્ધ-યુવાન સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા કાદરશા જમાલશા શાહમદાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધ મોરબીના પંચાસર રોડ ઉપરથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ગીતામીલની પાસે પડી જવાથી ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી-નીચી માંડલ ગામ વચ્ચે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા ઇજાઓ થવાથી હાલ નીચી માંડલ ગામે રહેતા અશ્વિન ગોવિંદભાઈ કનારા નામના ૨૯ વર્ષીય યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News