ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના વોરાબાગ પાસે એસબીઇના એટીએમમાં ત્રણ અજાણ્યા ઇસમ દ્વારા તોડફોડ કરી ચોરીનો પ્રયાસ


SHARE











મોરબીના વોરાબાગ પાસે એસબીઇના એટીએમમાં ત્રણ અજાણ્યા ઇસમ દ્વારા તોડફોડ કરી ચોરીનો પ્રયાસ

મોરબીના સામાકાંઠે વોરાબાગ વિસ્તારમાં આવેલ એસબીઆઇના એટીએમમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી રહી છે.

સુત્રો તેમજ સ્થાનીકો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી જતા વચ્ચે આવતા વોરાબાગ પાસે એસબીઆઈનું એટીએમ આવેલ છે તે એસબીઆઇના એટીએમને ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જો કે એટીએમ તૂટયુ ન હોય અને એટીએમના સ્પેરપાર્ટસમાં નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. એટીએમમાંથી રોકડ ગયેલ નથી પરંતુ એટીએમના સ્પેરપાર્ટસને નુકસાની થયેલ હોય ચોરીના આ પ્રયાસ અંગે એસબીઆઇ બેંકના સિનિયર એક્ઝિક્યુટિવ અમિતભાઈ બ્રહ્મક્ષત્રિય દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હોય બી ડિવિઝન પોલીસે એટીએમ ચોરીના બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ વાંકાનેર હાઇવે ઉપર એટીએમમાં તોડફોડ કરીને ચોરીની ઘટનાઓ સામે આવી હતી.દરમિયાન થોડો સમય વિરામ રહ્યા બાદ પુન: મોરબીના સામાકાંઠે વોરાબાગ પાસે એટીએમમાં તોડફોડ કરીને ચોરી કરવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.ત્યારે તહેવાર સમયે નાઇટપેટ્રોલીગ સાબદુ કરવા લોકો માંગ કરી રહ્યા છે.






Latest News