ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કન્ટેનરની શોર્ટેજથી સિરામિક ઉદ્યોગકારોનો તૈયાર માલ એક્સપોર્ટ થતો નથી: પ્રમુખ


SHARE











મોરબીમાં કન્ટેનરની શોર્ટેજથી સિરામિક ઉદ્યોગકારોનો તૈયાર માલ એક્સપોર્ટ થતો નથી: પ્રમુખ

મોરબીના સિરામિક ઉધોગમાં તૈયાર થતાં માલને કન્ટેનર મારફતે વિદેશમાં મોકલાવવામાં આવે છે. જોકે હાલમાં મોરબીના ઉધોગકારો માલ એકસ્પોર્ટ કરવામાં હેરાનગતિનો સામનો કરી રહ્યા છે કેમ કે, હાલમાં કન્ટેનરની શોર્ટેજ હોવાના કારણે ઉદ્યોગકારોના કારખાનાની અંદર સિરામિક પ્રોડકટનો માલ તૈયાર પડ્યો છે. છતાં પણ તેઓના ગ્રાહક સુધી સમયસર તે માલ મોકલી શકતા નથી. જેના કારણે ઘણા ઉદ્યોગકારો તેની પાર્ટી ગુમાવવાથી લઇને આર્થિક નુકશાની સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો છે

મોરબીના સિરામિક ઉદ્યોગને હાલમાં એક્સપોર્ટના ખૂબ જ મોટા પ્રમાણમાં ઓર્ડર છે અને ડોમેસિક માર્કેટમાં ટાઇલ્સની માંગ ઓછી છે જો કે, વિદેશમાં મોરબીની ટાઇલ્સની ખુબ મોટી માંગ છે પરંતુ ઉદ્યોગકારો તેનો તૈયાર માલ મોકલી શકતા નથી. કેમાં કે, હાલમાં મોરબીના ઉદ્યોગકારોને ખાલી કન્ટેનર મળતા નથી. જેના લીધે ઉદ્યોગકારો માલ મોકલાવી શકતા નથી તેટલું જ નહીં પરંતુ આર્થિક નુકશાનીની સાથોસાથ પાર્ટી ગુમાવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે એન આ કન્ટેનરની શોર્ટેજ હોવાના કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી હોય તેવું અહીના ઉદ્યોગકારો માની રહ્યા છે.

મોરબીની આસપાસમાં સિરામિકના નાના મોટા કારખાનામાં આવેલ છે તેમાં જુદીજુદી સિરામિક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી રહી છે જેમાથી મોટા પ્રમાણમા સિરામિક પ્રોડક્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ માલ ભરવા માટે ખાલી કન્ટેનર મળતા નથી જેથી મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી માલને એક્સપોર્ટ કરવામાં ઉદ્યોગકારો હેરાન થઈ રહ્યા છે આ બાબતે મોરબી સિરમિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ. કે, હાલમાં ડોમેસ્ટિક માર્કેટમાં સિરામિકની માંગ પ્રમાણમાં ઓછી છે જો કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સિરામિક પ્રોડક્ટની માંગ છે પરંતુ કન્ટેનરની કૃત્રિમ શૉર્ટેજ ઊભી કરવામાં આવી છે જેથી કન્ટેનર ન હોવાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો હેરાન છે.

એક બાજુ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસે એક્સપોર્ટના પૂરતા પ્રમાણમાં ઓર્ડર છે. અને તેની સામે ઓર્ડર મુજબનો માલ તેઓના કારખાનાની અંદર તૈયાર છે. તેમ છતાં તેઓ પોતાની પાર્ટી સુધીમાં કન્ટેનર ન મળતા હોવાથી માલ મોકલી શકતા નથી. જો આવી જ પરિસ્થિતી રહેશે તો ઘણા ઉદ્યોગકારોએ તેઓની કાયમી પાર્ટી ગુમાવવી પડે અથવા તો ઓર્ડરમાં નુકસાની સહન કરવી પડે તેવો ઘાટ સર્જાયો છે.






Latest News