મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને તોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર


SHARE











મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને તોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવમાં આવી રહ્યું છે. ત્યાં નદીના કાંઠે જે દીવાલ બનાવવામાં આવી છે. તે દિવાલને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને ખાખરેચી દરવાજા પાસે રહેતા લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને દિવાલ તોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર પાસે દીવાલ બનાવવામાં આવી છે તેના લીધે નદીમાં પાણી રોકાઈ અને હોનારત થાય તેવી શક્યતા છે જેથી કરીને થોડા દિવસો પહેલા કલેક્ટર કચેરીમાં કલેક્ટર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ અને સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તો અને ટેકનિકલ નિષ્ણાતની હાજરીમાં બેઠક યોજાઇ હતી જેમાં દિવાલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા દિવાલ તોડવાનું કામ શરૂ પણ કર્યું હતું.

જો કે, છેલ્લા દિવસોથી દિવાલ તોડવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને ખાખરેચી દરવાજા પાસે રહેતા લોકોને આજે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, આ દિવાલ નહીં દૂર કરવામાં આવે તો ભવિષ્યમાં ભરવાડવાસ, મકરાણીવાસ, જેલ રોડ, વાઘપરા ખાખરેચી દરવાજા સહિતના વિસ્તારમાં લોકોને જાનમાલને નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને તે દિવાલને વહેલમાં વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News