ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને તોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર


SHARE











મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને તોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવમાં આવી રહ્યું છે. ત્યાં નદીના કાંઠે જે દીવાલ બનાવવામાં આવી છે. તે દિવાલને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને ખાખરેચી દરવાજા પાસે રહેતા લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને દિવાલ તોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર પાસે દીવાલ બનાવવામાં આવી છે તેના લીધે નદીમાં પાણી રોકાઈ અને હોનારત થાય તેવી શક્યતા છે જેથી કરીને થોડા દિવસો પહેલા કલેક્ટર કચેરીમાં કલેક્ટર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ અને સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તો અને ટેકનિકલ નિષ્ણાતની હાજરીમાં બેઠક યોજાઇ હતી જેમાં દિવાલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા દિવાલ તોડવાનું કામ શરૂ પણ કર્યું હતું.

જો કે, છેલ્લા દિવસોથી દિવાલ તોડવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને ખાખરેચી દરવાજા પાસે રહેતા લોકોને આજે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, આ દિવાલ નહીં દૂર કરવામાં આવે તો ભવિષ્યમાં ભરવાડવાસ, મકરાણીવાસ, જેલ રોડ, વાઘપરા ખાખરેચી દરવાજા સહિતના વિસ્તારમાં લોકોને જાનમાલને નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને તે દિવાલને વહેલમાં વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News