ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું


SHARE











મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળા ખાતે વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન સુશ્રી નેહાતાઈ જોષી (રાષ્ટ્રીય સચિવ તથા એડવોકેટ) અને સીમાબેન મહેતા (પ્રાંત કાર્યકર્તા)એ કર્યું હતું. જેમાં ભારતમાતા પૂજન અને ગ્રાહક ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ ગ્રાહક ઘટના માધ્યમથી ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પેકિંગની તારીખ, સમાપ્ત થતી તિથિ, ગેરંટી, વોરંટી તથા પર્યાવરણ સંરક્ષણ અને અન્ય ઉપયોગી મુદ્દાનું માર્ગદર્શન પીપીટી દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઘટ દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો સંપૂર્ણ વર્ષ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયાનો વિશેષ સહકાર મળ્યો હતો. અને નિયામક સુનિલભાઈ પરમાર, માધ્યમિક પ્રધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા તથા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર મેહુલભાઈ ગાંભવા તેમજ અન્ય મહિલા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા






Latest News