મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા વૃધ્ધાનું મોત


SHARE











હળવદના સુખપર ગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા વૃધ્ધાનું મોત

 હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ સુખપર ગામના પાટિયા પાસેથી વૃદ્ધા રોડ ઉપરથી જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક વૃદ્ધાના દીકરાએ હાલમાં અજાણ્યા વાહન ચાલક સાથે સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા હીરાભાઈ કલાભાઈ બારણીયા જાતે નાડીયા (30)એ અજાણ્યા વાહનચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના માતા પારૂલબેન કલાભાઈ બાણીયા (ઉંમર ૫૬) હળવદ ધાંગધ્રા રોડ ઉપર સુખપર ગામના પાટિયા પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને તેમને જમણા હાથ, પેટ અને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું માટે હાલમાં મૃતક પારુલબેનના દિકરા હીરાભાઈની ફરિયાદ લઈને હળવદ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News