જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

હળવદના રણછોડભાઈ કણઝરીયાની આવકમાં પ્રાકૃતિક ખેતીથી થયો અઢી ગણો વધારો


SHARE











હળવદના રણછોડભાઈ કણઝરીયાની આવકમાં પ્રાકૃતિક ખેતીથી થયો અઢી ગણો વધારો

હળવદ તાલુકાના ઈસનપુરનાં ૪૬ વર્ષીય ખેડૂત રણછોડભાઈ કણઝરીયાએ ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. તેઓ છેલ્લા ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું હાલ તેઓ ઓનલાઇન વેંચાણ કરી રહ્યા છે સાથે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલ અનુભવો અંગે રણછોડભાઇએ જણાવ્યું હતું કે અમારા હળવદ તાલુકાના મુખ્ય પાકો એટલે ખરીફ પાકમાં કપાસ અને રવી પાકોમાં ઘઉ તથા વરીયાળી અને જીરૂનો સમાવેશ થાય છે. અમારા વિસ્તારમા લગભગ મોટા ભાગના ખેડૂતો  પરંપરાગત ખેતી કરતા હતા. વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં  એક એકરે વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ ઉત્પાદન ઘટવા લાગ્યુ. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. કપાસમાં એકરે ઉત્પાદન સાવ ઓછું થવા લાગ્યુ. આવા સમયમાં અમે ૫-૬ વર્ષ પહેલા અમે બગાયતી પાક્ના વાવેતર કરવાનુ વિચાર્યુ તે સમયે મે ૨ એકરમા લીંબૂનું  વાવેતર કર્યુ હતું.

લીંબુના વાવેતરમાં જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા. પરિણામે ખર્ચ વધવાથી નફો ઓછો મળતો હતો. હું લીંબુના વાવેતરનું અવલોકન કરતો. ત્યારબાદ હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા ૪ વર્ષથી જોડાયેલો છુ. તેની  જુદી જુદી તાલીમમાં  ભાગ લેવા જતો હતો. આ દરમિયાન અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારીત ખેતી અંગેની તાલીમ યોજેલ તેમા મે ભાગ લીધો અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યુ. ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વીડિયો  દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું. શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યુ ત્યારબાદ લીંબુ વાવ્યા તેમાં આંતરપાક તરીકે હળદર, મરચી, મગ, મગફળી, તલનુ વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. હળદળ, મરચાંનું મુલ્યવર્ધન કરીને તેના પાવડરના પેકિંગ બનાવ્યા, મગના પણ પેકિંગ કરીને વેંચીએ છીએ પરિણામે સિંગલ પાક કરતા આ રીતે આવક વધારે મળવા લાગી.

હાલમા જીવામ્રુતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગયેલ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. જમીનમાં અળસિયા ઉત્પન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વિજળી ખર્ચમાં પણ બચત થઇ. જ્યારે ખેતી કામમાં કેમિકલનો ઉપયોગ કરતાં હતા ત્યારે આવક રૂ. ૮૦,૦૦૦ થતી હતી તેની સામે ખર્ચ રૂ. ૪૦,૦૦૦ જેટલો થતો હતો જેથી નફો રૂ.૪૦,૦૦૦ મળતો હતો. પ્રાકૃતિક  ખેતીના ઉપયોગથી ખેતીની આવક ૧,૪૦,૦૦૦ ની થઈ હતી અને ખર્ચ- રૂ.૪૦,૦૦૦ નો થયો હતો. અને નફો ૧,૦૦,૦૦૦ મળતો થયો હતો આમ, રણછોડભાઈની આવકમાં અઢી ગણો નોંધ પાત્ર વધારો થયો હતો.






Latest News