ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત


SHARE











મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ ગૌચરની જગ્યા પર થયેલ દબાણ દૂર કરવા તથા દબાણકર્તા અને તેને સમર્થન કરનાર સ્થાનિક અધિકારી સામે લેન્ડગ્રેબિંટ એકટ હેઠળ ધોરણસર પગલા લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી છે  

મોરબી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગૌચરની રીઝર્વ રાખેલ જગ્યા પર અનધિકૃત દબાણો થયા છે જેના કારણે માલધારી સમાજ ભારે પરેશાન છે. અને પશુઓ માટે ચરિયાણની વ્યવસ્થા નથી ત્યારે આવા ગૌચરો ઉપર સંબંધકર્તા લોકોએ ભારે મોટા પ્રમાણમાં દબાણો કરેલ છે આ બાબત સ્થાનિક જવાબદાર તંત્રની જાણમાં હોવા છતાં આ દબાણો દૂર થતા નથી અથવા તો ઈરાદાપૂર્વક દબાણઓ હટાવવામાં આવતા નથી. જેથી રાજયના મહેસુલ મંત્રીને મોરબીના માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારીએ લેખીત રજૂઆત કરીને ગૌચરના દબાણો દુર કરાવવા માટે વધુ એક વખત રજૂઆત કરેલ છે.

વધુમાં તેમણે એવિ પણ રજૂઆત કરેલ છે કે, ગૌચરોની જમીનના દબાણો દુર કરી દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પગલા લઈ તેમજ આ દબાણો હોવાનું તેમજ અમુક કિસ્સામાં તો લેખીત ફરીયાદો હોવા છતા દબાણને નજર અંદાજ કરનાર સંલગ્ન અધિકારીઓ સામે પણ લેન્ડ ગ્રેબિંટ એકટ હેઠળ કડક પગલા લેવામાં આવે તેવી રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, વખતો વખત અનેક રજુઆતો કરવા છતા પણ પગલા લેવાયેલ નથી તેમજ સ્થાનીક કલેકટરને પણ આ મુદદે અનેક રજૂઆતો કરવા છતા પગલા લેવાતા નથી તેમ રમેશભાઇએ આક્રોશપુર્વક અખબારી યાદીમાં જણાવેલ છે.






Latest News