તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ગૌતમ સોસાયટીમાં આવેલ વિન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી


SHARE











મોરબીની ગૌતમ સોસાયટીમાં આવેલ વિન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીના એપાર્ટમેન્ટમાં વૃદ્ધે પોતાનું એક્ટિવા પાર્ક કરીને મૂક્યું હતું જે એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પાર્કિંગમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં વિન્ટેજવિલા એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૦૧ માં રહેતા હરીલાલભાઈ રૂગનાથભાઈ રાજપરા જાતે પટેલ (૫૭)એ ચોરીની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વિન્ટેજ વીલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એચ ૬૭૭૭ પાર્ક કરીને મૂક્યું હતું જે એકટીવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 મારા મારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા રસુલભાઈ દાઉદભાઈ દાવલિયા જાતે પીંજારા (૩૩) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

યુવાનને માર માર્યો

મોરબી નજીકના નવા જાંબુડીયા ગામે રહેતા કિશન તળશીભાઇ કેરવાડીયા (૨૭) નામના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે તેના પત્ની પાયલબેન મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News