મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડનો બનાવ : નવા બનતા બહુમાળી બીલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત


SHARE











મોરબીના પંચાસર રોડનો બનાવ : નવા બનતા બહુમાળી બીલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પુષ્કરધામ સોસાયટીમાં નવા બની રહેલા બિલ્ડીંગના પાંચમાં માળે પાણી છાંટતા સમયે પગ લપસી જવાથી પાંચમાં માળેથી નીચે પટકાયેલા રાજસ્થાની યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના પંચાસર રોડ ઉપર પુષ્કરધામ સોસાયટી આવેલી છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટના નામે નવું બહુમાળી બીલ્ડીંગનું બાંધકામ થઇ રહ્યું છે તેના પાંચમાં માળે પાણી પાતા સમયે પગ લપસી જવાથી પાંચમાં માળની ઊંચાઈએથી નીચે પટકાતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અર્જુનરામ લુણારામ જોરટ જાતે જાટ (ઉમર ૧૮) હાલ રહે. પંચાસર રોડ પુષ્કરધામ સોસાયટી મોરબી મૂળ રહે.ખીમસર તાલુકો બાયતુ જીલ્લો બાડમેર રાજસ્થાન નામના રાજસ્થાની મજુર યુવાનનું મોત નીપજયું હતું.બનાવને પગલે એ ડિવિજન પોલીસ મથકના વી.પી.છાસીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સોખડા ગામના રહેવાસી રવુભા દેવરાજભા  બળદા જાતે ગઢવી (૩૪) અને ભીખુભા નટુભા નામના બે યુવાનો બાઈકમાં સોખડા ગામ નજીકથી જતા હતા ત્યારે તેઓના બૈઇકની આડે રોજડુ(જંગલી પ્રાણી) આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રવુભા અને ભીખુભાને આયુષ હોસ્પિટલે સારવારમાં લઇ જવાયા હતા જ્યાંથી વધુ ઈજાગ્રસ્ત ભીખુભા નટુભાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News