ટંકારાનાઘુનડા (સ)ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો10,300 ની રોકડસાથે પકડાયાજીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 25ટંકારાતાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાંજાહેરમાં જુગાર રમતા હોવાનીહકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડકરી હતી ત્યારે સ્થળઉપરથી છ શખ્સો જુગ વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા ઉપવાસ આંદોલન


SHARE











મોરબીમાં પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા ઉપવાસ આંદોલન

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ધર્મ રથ કાઢીને ગામડે ગામડે જઈને લોકોને ભાજપની વિરોધમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે તેવામાં આજે મોરબીમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા ઉમા ટાઉનશિપ પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે અને મહિલાઓએ પરસોતમ રૂપાલાની ધૂન બોલાવી હતી

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે અશોભનીય ટિપ્પણી કરી હતી તેને લઈને તેની સામે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તે હવે ભાજપ સામે શરૂ થઈ ગયેલ છે કેમ કે, ભાજપે તેના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરેલ નથી અને હવે ભાજપની વિરોધમાં મતદાન કરવામાં આવે તેના માટે ગામડે ગામડે જઈને લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યાર બાદ હવે ધર્મ રથ બાદ મોરબી ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા મોરબીમાં ઉમા ટાઉનશિપની સામે આવેલ પંચમુખ હનુમાન મંદિરે પ્રતીક ઉપવાસ કર્યા છે અને ત્યારે બહેનોએ જણાવ્યુ હતું કે,  મોરબીમાં પુલ દુર્ઘટના બની હતી ત્યારે મોરબીના રાજમાતાએ કોઇની જ્ઞાતિ જાતિ જોઈને કોઈને મદદ કરી ના હતી અઢારેય વર્ણના લોકો હતા તે તમામને મદદ કરી હતી ત્યારે ભાજપના આગેવાન અને કેન્દ્રિય મંત્રી દ્વારા જે રીતે ક્ષત્રિય સમાજની બહેન દીકરી વિષે જે ટિપ્પણી કરવામાં આવેલ છે તેના માટે હવે ભાજપને પણ માફી નહીં આપવામાં આવે અને ભાજપ સામે આગામી દિવસોમાં કાયદા અને મર્યાદાના રહી લોકશાહીની ઢબે વિરોધ કરવામાં આવશે જો કે, હાલમાં ભાજપની  સામે મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે આ તકે મહિલાઓએ પરસોતમ રૂપાલાની ધૂન બોલાવી હતી






Latest News