ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આવાસ પાસે મૃત્યુ પામેલા યુવાનના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા


SHARE











મોરબીમાં સરકારી આવાસ પાસે મૃત્યુ પામેલા યુવાનના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયાની પાછળના ભાગમાં ખડિયાના નાકા પાસેથી સરકારી આવાસ યોજનામાં રહેતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેની લાશને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને યુવાનનું બીમારી સબબ મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૩૨) નામના યુવાનનો મૃતદેહ લીલાપર ચાર માળીયા પાછળ ખડિયાના નાકેથી મળી આવ્યો હતો જેથી કરીને તે અંગેની જાણ તેના ભાઈ પીન્ટુભાઇ રમેશભાઈ કુંઢીયા (૨૪) રહે. લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાનમાં મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે યુવાનના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં યુવાનનું કોઈ બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આઈકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા મોનુભાઈ નાથુભાઈ માહાલી (૪૦) અને સામુભાઈ મંગળભાઈ સોરેન (૩૦) ને શ્રીનાથજી કાંટા જૂના ઘૂટું રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News