મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવતીની હત્યા કરનારા પરણિત પ્રેમીને આજીવન કેદની સજા


SHARE







વાંકાનેરમાં યુવતીની હત્યા કરનારા પરણિત પ્રેમીને આજીવન કેદની સજા

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં કારખાનું આવેલ છે તેમાં કામ કરતી યુવતીને પરિણીત યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ રાખવા સતત યુવતી દબાણ કરતો હતી જેથી કરીને પરિણીત પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી જે ગુનામાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે

આ કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ પાંચ વર્ષ પહેલાં વાંકાનેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીની દીકરી કવિતા ચૌહાણબુ હત્યા કરવામાં આવી હતી આ યુવતી વઘાસીયા ગામની સીમમાં આવેલ સુર્યા ઓઈલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી અને ત્યાં કામ કરતા આરોપી ધીરજ સોલંકી સાથે પ્રેમ સબંધ હતો અને શારીરિક સંબંધ પણ હતા. જો કે, આરોપી પરિણીત હતો જેથી કરીને યુવતી સાથેના સબંધ જાહેર થશે તો લગ્નજીવન બગડશે અને સમાજમાં બદનામી થશે તેવું લાગતા તેને સંબંધ છોડવા યુવતીને સમજાવી હતી જોકે, યુવતી તૈયાર ન થતી ન હતી અને તેને રૂબરૂ મળીને તેમજ ફોન કરીને સંબંધ રાખવા દબાણ કરતી હતી. જેથી આરોપીએ યુવતીને કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી હતી. આ કેસ બીજા એડીશનલ સેશન્સ જજ વી.એ બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ કોર્ટમાં ૪૨ દસ્તાવેજી અને ૧૭ મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી ધીરજ સોલંકીને હત્યના ગુનામાં આજીવન કેદની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે. જે દંડની રકમ મૃતકના પરિવારજનોને કમ્પેન્સેશન તરીકે આપવા હુકમ કરેલ છે






Latest News