ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાથી લઈને સંસદ સુધી ભાજપ તો પણ લોકો પ્રાથમિક સુવિધાઓને જ ઝંખે: કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલન


SHARE











મોરબીમાં પાલિકાથી લઈને સંસદ સુધી ભાજપ તો પણ લોકો પ્રાથમિક સુવિધાઓને જ ઝંખે: કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલન

કચ્છ મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલન આજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક માટે આવ્યા હતા અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે મોરબીમાં પાલિકાથી લઈને સંસદ સુધી ભાજપ છે તો પણ આજની તારીખે મોરબીના લોકો પ્રાથમિક સુવિધાઓને ઝંખી રહ્યા છે અને અહીના સિરામિક ઉદ્યોગકારો પણ અનેક પીડાઓથી પીડાઇ રહ્યા છે ત્યારે તમામ લોકોએ કોંગ્રેસને આ ચૂંટણીમાં પ્રચંડ બહુત આપીને વિજેતા બનાવવાનું મન બનાવી લીધું છે

હાલમાં લોકસભા ૨૦૨૪ થી ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે અને આગામી ૭ મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે ત્યારે રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેના દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવેલ છે જેના ભાગરૂપે કચ્છ મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેષ પરબતભાઈ લાલન આજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે કચ્છ અને મોરબી જિલ્લામાં કોંગ્રેસને ખૂબ સારું વાતાવરણ છે તેવો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મોરબી પાલિકાથી લઈને સંસદ સુધી ભાજપ હોવા છતાં પણ આજની તારીખે મોરબીમાં એક પણ પર્યટન સ્થળ નથી, લોકો સારી પ્રાથમિક સુવિધાઓ ઝંખે છે, સિરામિક ઉદ્યોગમાં ત્રણ લાખ જેટલા લોકો બહારથી રોજગારી મેળવવા અને વેપાર ધંધા માટે આવતા હોય છે તેમ છતાં પણ તેઓ માટે સારી રેલવેની સુવિધા નથી, એરપોર્ટ બનાવવાની વાતો વર્ષ ૨૦૦૭ થી કરવામાં આવે છે પણ આજની તારીખે ત્યાં માત્ર દીવાલ જ બનાવવામાં આવી છે આમ પ્રાથમિક સુવિધાઓની સામાન્ય નાગરિકથી લઈને સિરામિક ઉદ્યોગકાર સહિતના લોકો ઝાંખી રહ્યા છે આટલું જ નહીં મોરબીના સિરામિક ઉદ્યોગમાં ૩૫ ટકા જેટલો હિસ્સો નેચરલ ગેસનો છે અને નેચરલ ગેસને જીએસટીમાં સમાવવામાં આવેલ નથી જેથી મોરબીના ઉદ્યોગકારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ઉદ્યોગકારોથી લઈને સામાન્ય નાગરિક સુધીના તમામ લોકો ભાજપથી નારાજ છે અને આ ચૂંટણીની અંદર સો ટકા કચ્છ મોરબી બેઠક ઉપરથી ભાજપને હરાવીને કોંગ્રેસનો વિજય થવાનો છે કારણ કે મતદારોએ જ કોંગ્રેસને વિજય બનાવવાનું મન બનાવી લીધું છે આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા મનોજભાઈ પનારા, રાજુભાઇ આહીર, રાજુભાઇ કાવર, અલ્પેશભાઇ કોઠીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News